રાજકોટ પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કરી રહ્યા હતા મુસાફરી, રેલવે પોલીસે શરૂ કરી તપાસ
- 08 Dec, 2023
તેજસ એક્સપ્રેસ ટ્રેન હોય કે પછી વંદે ભારત, ભારતમાં જ્યારથી જ નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે ત્યારથી જ અસામાજિક તત્વો હાવી બન્યા છે. દેશના અનેક રાજ્યોમાં ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે ત્યારે આવીજ ઘટના રાજકોટમાં પણ થઈ છે.
ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ જવા માટે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ રાજકોટ પાસે ટ્રેન પર પથ્થરમારો કર્યો. બિલેશ્વર સ્ટેશન પાસે અસામાજિક તત્વોએ આ હુમલો કર્યો જેના કારણે ટ્રેનમાં નુકસાન પણ પહોંચ્યું છે. સમગ્ર ઘટનાને લઇ રેલવે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ જવા માટે ટ્રેન જ્યારે રાજકોટથી અમદાવાદ પરત આવવા માટે ST બસમાં મુસાફરી કરી હતી. મુસાફરી દરમિયાન અન્ય મુસાફરો સાથે પણ હર્ષ સંઘવીએ વાતચીત કરી હતી તથા સોશ્યલ મીડિયામાં તસવીરો પણ શેર કરી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ